દેશમાં દૈનિક કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો, આજે પણ એક લાખથી ઓછા કેસ નોંધાયા
Live TV
-
24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના કારણે 3,303 લોકો મૃત્યુ પામ્યા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80,834 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,32,062 કોરોનાના દર્દીઓ સ્વસ્થ્ય થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના કારણે 3,303 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે હાલમાં દેશમાં કુલ સક્રિય કેસ 10,26,159 છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 2,94,39,989 નોંધાયી છે. સાથે જ કુલ મોતનો આંકડો 3,70,384એ પહોંચ્યો છે.
દેશમાં વેક્સિનેશનના આંકડા
કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે દેશમાં વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધી કુલ 25,31,95,048 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 34,84,239 લોકોને વેક્સિન આપવામાં આવી છે.છેલ્લા 24 કલાકની સ્થિતિ
- દેશમાં કોરોનાના નવા 80,834 કેસ
- કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ 1,32,062
- કોરોનાથી મૃત્યુ 3,303
- દેશમાં હાલમાં કુલ સક્રિય કેસ 10,26,159
- દેશમાં અત્યાર સુધીના કુલ કેસ : 2,94,39,989
- દેશમાં અત્યાર સુધી કુલ મોત : 3,70,384
- દેશમાં અત્યાર સુધીનું કુલ રસીકરણ 25,31,95,048
- છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીકરણ 34,84,239
