આતંકવાદ પાકિસ્તાનની સ્ટેટ પોલિસી: અજીત ડોવાલ
Live TV
-
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે કહ્યું હતું કે આતંકવાદને ખતમ કરવાની સાથે જ તેના મૂળમાં પણ જવું જરુરી છે.
એનએસએ અજીત ડોવાલે આતંકવાદને પાકિસ્તાનની સ્ટેટ પોલિસી ગણાવી હતી. તેમણે ATS અને STFના સંમેલનમાં કહ્યું કે - આતંકવાદને ખતમ કરવા માટે સપોર્ટ સિસ્ટમ પર વાર કરવો જરુરી છે. અત્યાર સુધીમાં તપાસમાં એનઆઈએનો સફળતાદર 90 ટકા રહ્યો છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે કહ્યું હતું કે આતંકવાદને ખતમ કરવાની સાથે જ તેના મૂળમાં પણ જવું જરુરી છે. જેમાં ટેરર ફંડિગ, આતંકવાદીઓના સપોર્ટર અને તેને છુપાવનાર લોકો પર કડક કાર્યવાહી થશે.
ડોવાલે રાજ્યોની તપાસ એજન્સીને કહ્યું કે તેમની કાર્યવાહી પ્રમુખ છે. સિવિલ સોસાયટીને આતંકથી બચાવવી એ તેમની જવાબદારી છે. આ ઉપરાંત ડોવાલે પાકિસ્તાનનું નામ લેતા કહ્યું કે પાકિસ્તાને આતંકવાદને પોતાની સ્ટેટ પોલીસી ગણાવી છે.
