દિલ્હીમાં આજથી 31 જૂલાઇ સુધી ભારતની યજમાનીમાં ભારત મંડપમમાં વિશ્વ ધરોહરની યોજાશે બેઠક
Live TV
-
દિલ્હીમાં આજથી 31 જૂલાઇ સુધી ભારતની યજમાનીમાં ભારત મંડપમમાં વિશ્વ ધરોહરની યોજાશે બેઠક
દિલ્હીમાં આજથી 31 જૂલાઇ સુધી ભારતની યજમાનીમાં ભારત મંડપમમાં વિશ્વ ધરોહરની બેઠક યોજાઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠકનું ઉદધાટન કરશે. યુનેસ્કોની આ 46મી બેઠક છે. જેમાં વિશ્વ ધરોહરમાં સામેલ 150 થી વધુ દેશોના બે હજારથી વધુ પ્રતિનિધી ભાગ લેશે.
જી-20 સમિટ બાદ દેશમાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય સ્તરનો એક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. યુનેસ્કોના સહયોગથી કેન્દ્રીય સાંસ્કૃતિ મંત્રાલય તરફથી આયોજીત કાર્યક્રમમાં યુનેસ્કોના મહાનિદેશક આદ્રે આજોલી અને વિવિધ દેશોના સંસ્કૃતિ મંત્રી, રાજદૂત અને વિશેષજ્ઞ ભાગ લેશે. આ બેઠકમાં વિશ્વ ધરોહર યાદીમાં વિવિધ સ્થળોને નામાંકિત કરવા સહિતના પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે.
