પીએમ મોદી પાર્ટી હેડક્વાર્ટરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6:30 કલાકે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે અને લોકસભા ચૂંટણીમાં જીત બાદ બીજેપી કાર્યકર્તાઓને મળશે . કાર્યકર્તાઓના પ્રયાસો બદલ તેમનો આભાર માનશે.
પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે 3 મહિના, દિવસના 24 કલાક અથાક મહેનત કરી તેવા 100થી 150 કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત કરશે. આજે સાંજે ભાજપના મુખ્યમથક ખાતે મુલાકાત કરશે. આ સિવાય કાર્યાલયની રોજબરોજની ગતિવિધિઓ વિશે પણ પૂછપરછ કરશે.
જો કે આ પ્રથમ વખત નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. આ પહેલાં 2014 અને 2019ની લોકસભા ચૂંટણી પછી પાર્ટીના કાર્યકરોને આવી જ રીતે મળ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો. પીએમ મોદીની બીજેપી કાર્યકર્તાઓ સાથે મુલાકાત પહેલાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ મળી હતી.
