પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તિરુમાલામાં વેંકટેશ્વર મંદિરમાં કરશે દર્શન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેશે અને મંદિરમાં પૂજા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેશે અને મંદિરમાં પૂજા કરશે. મંદિર વહીવટના આચાર્ય વૈદિક પદ્ધતિ અને પરંપરા મુજબ પ્રધાનમંત્રીને પૂજા-અર્ચના કરાવશે. આ ચોથીવાર પીએમ મોદી ભગવાન વેંકટેશ્વરના દર્શનાર્થે તિરૂપતિ પહોંચ્યા છે. વર્ષ 2014 બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધી ત્રણવખત એટલે કે ઓક્ટોબર 2015, જાન્યુઆરી 2017 અને જૂન 2019માં તિરૂપતિ તિરૂમાલા મંદિરના દર્શનાર્થે આવી ચૂક્યા છે. ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ પીએમ મોદીના આગમન અંગે ખૂબ ઉત્સાહિત છે.
