રાષ્ટ્રપતિ અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ વચ્ચે આજે દ્વિપક્ષીય મંત્રણા થશે
Live TV
-
બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના કરારો ઉપર પણ હસ્તાક્ષર થશે
ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ મોરેશિયસના પ્રવાસે છે. મોરેશિયસના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ વચ્ચે આજે દ્વિપક્ષીય મંત્રણા થશે. તેમજ બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના કરારો ઉપર પણ હસ્તાક્ષર થશે. સાથે સાથે કેટલીક યોજનાઓનું ઇ લોકાર્પણ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે મંગલ મહાદેવ મંદિરના દર્શન પણ કરશે. ઉલ્લેખનીય છે કે ગત રોજ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ મોરેશિયસના રાષ્ટ્રદિવસના વિશેષ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.
