ત્રણ દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજારો ફરી ગ્રીનઝોનમાં: સોના-ચાંદીના ભાવમાં વધારો
Live TV
-
ત્રણ દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજારો ફરી ગ્રીનઝોનમાં: સોના-ચાંદીના ભાવમાં વધારો
છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રથી સતત રેડ ઝોનમાં રહેલા ભારતીય શેરબજારમાં આજે આખરે તેજીનો સંચાર થયો છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને પગલે ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ આજે મજબૂત વધારા સાથે ખુલ્યા હતા, જેનાથી રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે.
આજે ટ્રેડિંગની શરૂઆતમાં જ બજારમાં ખરીદીનું જોર જોવા મળ્યું હતું. BSE સેન્સેક્સ: 400થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં પરત ફર્યો. NSE નિફ્ટી: 135 આંકના વધારા સાથે મજબૂતી દર્શાવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, વૈશ્વિક સ્તરે બજારોમાં જોવા મળેલી તેજી અને નીચલા સ્તરેથી આવેલી 'વેલ્યુ બાયિંગ' (Value Buying) ને કારણે ભારતીય બજારમાં આ રીબાઉન્ડ જોવા મળી રહ્યું છે.
એક તરફ શેરબજારમાં રિકવરી છે, તો બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર આજે સોના અને ચાંદી બંનેમાં મોટી તેજી જોવા મળી છે. સોનું પ્રતિ 10 ગ્રામના ભાવમાં 545 રૂપિયાનો વધારો થતા તે 1,62,000 ની ઐતિહાસિક સપાટીને પાર કરી ગયું છે. ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. પ્રતિકિલો દીઠ 4,000 રૂપિયાથી વધુના વધારા સાથે ચાંદીનો ભાવ 2,69,000 ને પાર પહોંચી ગયો છે.
ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગમાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું જણાય છે.
