ગુજરાત
Live TV
-

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે નવી વ્યવસ્થા
09-09-2026 | 3:28 pm
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઝડપી અને સુગમ સારવાર મળી રહે તે માટે કતાર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણની નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
-

“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ સાથે નર્મદામાં પોષણ માહનો પ્રારંભ
09-09-2026 | 3:01 pm
“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ સાથે નર્મદા જિલ્લામાં 9મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો પ્રારંભ થયો છે.
-

અરવલ્લીની 29 આશ્રમશાળાઓને આધુનિક સુવિધાઓ મળશે
09-09-2026 | 2:23 pm
આદિજાતિ વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લાની 29 આશ્રમશાળાઓ, અનુદાનિત છાત્રાલયો અને માધ્યમિક શાળાઓ માટે રૂ. 1.50 કરોડની વહીવટી મંજૂરી આપી છે.
-

અરવલ્લીની આશ્રમશાળા અને છાત્રાલયો સુવિધાઓથી સજ્જ બનાવવા 1.50 કરોડ મંજૂર
09-09-2026 | 12:08 pm
આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે અદ્યતન અને સુવિધાસભર શૈક્ષણિક તથા આવાસીય વાતાવરણ મળી રહે તે માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના’ અંતર્ગત અરવલ્લી જિલ્લાની આશ્રમશાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો અને માધ્યમિક શાળાઓમાં વિવિધ ભૌતિક સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા1.50 કરોડની વહીવટી મંજૂરી આપી છે.
-

અમરેલીના બે યુવાએ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વગાડ્યો ડંકો
09-09-2026 | 10:36 am
"નિષ્ફળતાથી હાર્યા વગર અડગ રહેનાર જ ઇતિહાસ રચે છે" આ ઉક્તિને અમરેલીના વિદ્યાસભા સંકુલ સ્થિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) કેમ્પસના બે પ્રતિભાશાળી ખેલાડીઓએ સાચી સાબિત કરી દેખાડી છે. વારંવાર મળેલી નિષ્ફળતાઓ અને પડકારો સામે અડગ રહીને તાવ્યા ગુંજલ અને બાંભણિયા રાજેશે ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યમાં અમરેલી અને સંકુલનું નામ રોશન કર્યું છે.
-

સર્વાઇકલ કેન્સરથી બચાવવા 6 લાખથી વધુ દીકરીઓનું HPV રસીકરણ સંપન્ન
09-09-2026 | 9:02 am
ગુજરાત સરકાર રાજ્યની દીકરીઓના સુદૃઢ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સ્ત્રીઓમાં ગંભીર સ્વરૂપે જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે કિશોરીઓને સુરક્ષિત રાખવા માટે હાથ ધરવામાં આવેલા મેગા અભિયાન અંતર્ગત ગત 4 સપ્ટેમ્બર 2026 સુધીમાં રાજ્યભરની 6 લાખથી પણ વધુ કિશોરીઓને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા ગુજરાતને દેશભરમાં પ્રથમ સ્થાને હોવાનું ગૌરવવંતુ નિવેદન આપ્યું છે.
-

ઓગસ્ટ મહિનામાં ટ્રાફિક નિયમ તોડનારા પાસેથી 5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો
09-09-2026 | 8:30 am
રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા અને જોખમી વાહન વ્યવહાર સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સ્તરે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ રાજ્યવ્યાપી ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના 74,242 કેસો નોંધી રૂપિયા 5.33 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથે જ ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના આદેશથી હવે અયોગ્ય કે ચેડાં કરેલી નંબર પ્લેટવાળા વાહનો સામે ૧૪ ઓક્ટોબર સુધી વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે.
-

ICJS અને Face Match Appથી 102 ગુનાનો રીઢો આરોપી ઝડપાયો, રૂ.15 લાખના દાગીના રિકવર
08-09-2026 | 7:57 pm
લીંબાયત પોલીસે 120 જેટલા CCTV ફૂટેજ તપાસી આરોપીને ઝડપી લીધો; હત્યા, ઘરફોડ ચોરી અને મારામારી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલાયો
-

ડીસામાં 81 ગ્રામ હેરોઈન સાથે યુવક ઝડપાયો, રૂ.17.56 લાખનો મુદ્દામાલ જપ્ત
08-09-2026 | 7:20 pm
ANTF બોર્ડર ઝોનની ટીમે ટેકરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી 25 વર્ષીય મહેશ ઉર્ફે બલ્લો ઠાકોરને ઝડપી લીધો
-

રાજ્યની સરકારી ITI માટે ‘ગણવેશ સહાય યોજના’નો ભવ્ય પ્રારંભ
08-09-2026 | 7:11 pm
કુબેરનગર ITI ખાતેથી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે યોજનાનો પ્રારંભ, 1.5 લાખ તાલીમાર્થીઓને સીધો લાભ મળશે
-

શ્રમિકોની સુરક્ષા અને સુખાકારી માટે મહત્વનો નિર્ણય
08-09-2026 | 6:18 pm
રાજ્યમાં ૧૦ કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતી ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓ માટે શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી ફરજિયાત
-

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-2027: અમદાવાદના યુવાનોને ક્વિઝમાં જોડાવા આહવાન
08-09-2026 | 6:14 pm
રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા યુવાનોને ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિચારો રજૂ કરવાની મળશે તક
-

NFSUમાં પ્રો. જયરાજસિંહ સરવૈયાનું સન્માન
08-09-2026 | 6:09 pm
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવા બદલ કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે કર્યું સન્માન
-

વડોદરાવાસીઓએ PM મોદીને આપી અનોખી ભેટ
08-09-2026 | 5:35 pm
વડના વૃક્ષનું બોનસાઈ, ગૌ-ગણેશજીની મૂર્તિ અને મધુબની પેઇન્ટિંગ અર્પણ; પર્યાવરણ, સ્વચ્છતા અને સાંસ્કૃતિક વિરાસતનો અનોખો સંગમ
-

વડોદરાને PM મોદીની 35 હજાર કરોડથી વધુની વિકાસ ભેટ
09-09-2026 | 8:30 am
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ; PM મોદીએ કહ્યું- ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવી રહ્યા છીએ
-

સરકારી સહાયથી નર્સરી ઉભી કરી લાખણીનો ખેડૂત બન્યો આત્મનિર્ભર
08-09-2026 | 4:57 pm
બાગાયત વિભાગની 2.27 લાખની સહાયથી કેસરસિંહ ગોળિયા ગામે નર્સરી શરૂ કરી ટમેટા, મરચાં, કોબીજ, ફૂલાવર અને ગલગોટાના ગુણવત્તાયુક્ત ધરુંનું ઉત્પાદન અને વેચાણ
-

PM મોદીએ ગુજરાતને રેલવે ક્ષેત્રમાં આપી મોટી વિકાસ ભેટ
08-09-2026 | 4:15 pm
વડોદરાથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 326 કિમીના ત્રણ મહત્વપૂર્ણ વિભાગો રાષ્ટ્રને સમર્પિત; નવી માલવાહક ટ્રેન સેવાઓને પણ લીલી ઝંડી
-

પિલોલ ગામમાં 7 ફૂટના મગરનું સફળ રેસ્ક્યુ
08-09-2026 | 1:51 pm
નેચર ચેરિટેબલ ટ્રસ્ટ અને ઠાસરા વનવિભાગની સંયુક્ત કામગીરીથી મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી કુદરતી આવાસમાં મુક્ત કરાયો
-

પીએમ મોદીના હસ્તે વડોદરાથી 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
08-09-2026 | 1:05 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન સંસ્કારી નગરી વડોદરા ખાતે વિકાસ પર્વ અને યુવા ઉર્જાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. એમ.એસ. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ રૂ. 35,200 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે તેમણે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) સહિતના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા.
-

GSRTC બસ પાસના દરમાં એસ.ટી. નિગમે 50 ટકા સુધીનો જંગી ઘટાડો કર્યો
08-09-2026 | 12:36 pm
સામાન્ય પરિવારોના માસિક બજેટમાં મુસાફરીનો ખર્ચ હંમેશાં ચિંતાનો વિષય રહ્યો છે. ખાસ કરીને રોજિંદા પ્રવાસીઓ, શ્રમિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે પરિવહન ખર્ચ મોટો આર્થિક બોજ બની જતો હોય છે. આ આર્થિક બોજને હળવો કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે (GSRTC) બસ પાસના દરમાં 50 ટકા સુધીનો જંગી ઘટાડો જાહેર કર્યો છે. રાજ્યના અઢી લાખથી વધુ નિયમિત મુસાફરોને સીધો નાણાકીય લાભ આપતા આ પ્રજાલક્ષી નિર્ણયથી મોટો આવકાર સાંપડ્યો છે.
-

અમદાવાદમાં રિક્ષા હડતાળ વચ્ચે મુસાફરોની સુવિધા માટે AMTSની વધારાની બસો તૈનાત
08-09-2026 | 4:42 pm
અમદાવાદ: ઓટો રિક્ષા ચાલકોની હડતાળને પગલે મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને AMTS દ્વારા શહેરમાં વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ અને બસ સ્ટેશનો પર વધારાની બસો, કન્ટ્રોલરો તથા ફ્લાઈંગ ટીમોની તૈનાતી કરીને મુસાફરો માટે આગોતરું આયોજન હાથ ધરાયું છે.
-

નવસારીનું 'નમો કમલમ': કેમ છે આ કાર્યાલય દેશનું સૌથી હાઈટેક કેન્દ્ર?
08-09-2026 | 8:56 am
દક્ષિણ ગુજરાતના નવસારીમાં આજે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી બન્યા બાદ શ્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત કોઈ જિલ્લા કક્ષાના પક્ષ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. નવસારીના ગ્રીડ હાઈવે નજીક નિર્માણ પામેલું આ નવું કાર્યાલય 'નમો કમલમ' જનસેવા અને સંગઠનની વિચારધારાને ડિજિટલ યુગ સાથે જોડતું પાવરહાઉસ બનશે.
-

આજે PM મોદી વડોદરા અને નવસારીને 35,200 કરોડના વિકાસકામોની ભેટ આપશે
08-09-2026 | 7:48 am
ગુજરાતના વિકાસની યાત્રામાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ ટૂંકા પરંતુ અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી વડોદરા અને નવસારી ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને રાજ્યને અબજો રૂપિયાના અદ્યતન વિકાસકામોની ભેટ આપશે.
-

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સુરત નવી સિવિલમાં 100મું સફળ અંગદાન
07-09-2026 | 10:18 am
દક્ષિણ ગુજરાતની આરોગ્ય ધામ ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ અને સુવર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને એકાદશીના અતિ પાવન પર્વે હોસ્પિટલ ખાતે ૧૦૦મું સફળ કેડેવર અંગદાન સંપન્ન થયું છે. નવસારી જિલ્લાના અંબાડા ગામના રહેવાસી અને સામાન્ય ખેતમજૂર પરિવાર સાથે સંકળાયેલા 56 વર્ષીય સ્વ. ભલાભાઈ છગનભાઈ હળપતિના બ્રેઈન ડેડ થયા બાદ, તેમના પરિવારે ભારે હૃદયે પરંતુ અત્યંત ઉમદા ભાવના સાથે અંગદાનની સંમતિ આપી સમાજ સામે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
-

સુરતમાં વિકસિત ભારત સંવાદ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિ
08-09-2026 | 8:10 am
સુરતના કામરેજ રોડ, વાલક પાટીયા સ્થિત જમનાબા વિદ્યાર્થી ભવનના કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વિકસિત ભારત સંવાદ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
-

-

-

-

-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે મહત્વનો વહિવટી સુધારો
06-09-2026 | 11:53 am
ગુજરાતના અતિ પછાત અને છેવાડાના આદિમજૂથોના સામાજિક-આર્થિક વિકાસને નવી ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ વહિવટી સુધારો કર્યો છે. મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ બિન-આદિજાતિ ધરાવતા ચાર જિલ્લાઓ—અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હવે યોજનાકીય કામગીરીના સંકલન અને અમલીકરણ માટે આદિજાતિ વિભાગના જ વર્ગ-1ના અધિકારીઓને સભ્ય સચિવ તરીકેની સીધી જવાબદારી સોંપવામાં આવી છે.
-

વરાછામાં સાયકલિંગ થકી નશા મુક્ત ભારતનો સંદેશ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને DyCM હર્ષ સંઘવીની ઉપસ્થિતિ
06-09-2026 | 10:51 am
ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વાસ્થ્ય, ફિટનેસ અને વ્યસનમુક્તિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી સુરતના વરાછા ખાતે સન્ડે ઓન સાયકલિંગ થીમ આધારિત 89મી સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માનગઢ ચોક ખાતેથી આ સાયકલ રેલીને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
-

વડોદરામાં PM મોદીના આગમન પૂર્વે સ્વચ્છતા સે સ્વાગત સાયક્લોથોન યોજાઈ
06-09-2026 | 8:40 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી વડોદરા પ્રવાસને વધાવવા માટે શહેરભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા અને વી બરોડિયનના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા સે સ્વાગત અભિયાન હેઠળ વહેલી સવારે પેડલ ક્લીનર વડોદરા સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
-

શિક્ષક દિન નિમિત્તે ગુજરાતના 40 શિક્ષકોનું 'રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક' પુરસ્કારથી સન્માન
06-09-2026 | 7:45 am
શનિવારે શિક્ષક દિન નિમિત્તે આયોજિત એક સમારોહમાં ગુજરાતભરમાંથી 40 શિક્ષકોને શિક્ષણ અને વિદ્યાર્થીઓના વિકાસમાં તેમના યોગદાન બદલ 'રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
-

-

-

-

દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના: વર્ષ 2025-26માં 1,200થી વધુ ગ્રામીણ યુવાઓની તાલીમથી બદલાઈ જિંદગી
03-09-2026 | 12:27 pm
તાલીમ બાદ મહિને લઘુત્તમ રૂ. 10 હજારથી વધુની કમાણી કરતા તાલીમાર્થીઓ
-

ગુજરાત સરકારે રાજ્યના તમામ હેલીપૅડને સતત ‘ઑપરેશનલ કન્ડીશન’માં રાખવાના કડક દિશા-નિર્દેશો આપ્યાં
03-09-2026 | 10:00 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી કે વીઆઈપી મૂવમેન્ટને સુદૃઢ કરવાની દિશામાં પગલું
-

અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટ ખાતે 5 સપ્ટેમ્બરથી શરૂ થશે હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ
03-09-2026 | 9:26 am
29 સભ્યોની ભારતીય પેરા આર્ચરી ટુકડી પેરા સિરીઝમાં ભાગ લેવા માટે સંપૂર્ણપણે સજ્જ
-

રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે સફાઈકર્મી ગલાલબેન મકવાણાના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન
03-09-2026 | 8:21 am
લોકમેળાની આવકમાંથી 20 વર્ષમાં રૂ.5.66 કરોડથી વધુ રકમ મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ કરાઈ: કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
news archive
08-09-2026
મંગળવાર
07-09-2026
સોમવાર




