સુરેન્દ્રનગર: નેપાળમાં ભારે વરસાદને પગલે પૂર અને ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાતા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિં...
નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ભારતે તાત્કાલિક ધોરણે વાયુસેનાના વિમાન દ્વારા 10 ટન રાહત સામગ્રી અને જરૂરી દવાઓ મોકલી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળને આ મુશ્કેલ સમયમાં તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપીને બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર પણ તૈનાત કર્યા છે. હાલમાં બંને દેશોની ટીમો સંકલન સાધીને પૂર પ્રભાવિત રસુવા જિલ્લામાં ફસાયેલા અને લાપતા લોકો માટે સઘન બચાવ અભિયાન ચલાવી રહી છે.
નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે તેની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે. રિસર્ચ અને એડવાઇઝરી ફર્મ ગાર્ટનર (Gartner)ના તાજેતરના અહેવાલ મુજબ, AI સિસ્ટમ્સને સિક્યોર કરવા માટેનું વૈશ્વિક માર્કેટ 2027 સુધીમાં લગભગ 4.8 બિલિયન ડોલર (અંદાજે 40,000 કરોડ) સુધી પહોંચવાની ધારણા છે. આ આંકડો વર્ષ 2026ની તુલનામાં 68.7 ટકાનો માતબર વધારો દર્શાવે છે. ગાર્ટનરના પ્રોજેક્શન અનુસાર, આ ઝડપી વૃદ્ધિ જળવાઈ રહેશે અને 2028 સુધીમાં આ માર્કેટ 7.7 બિલિયન ડોલરની સપાટી વટાવી જશે.
મુંબઈ ખાતે ચાલી રહેલા લોકપ્રિય સ્ટંટ-બેઝ્ડ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 15' ને ...
નર્મદા જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે 'ધન્વંતરિ આરોગ્ય રથ યોજના' બની આશીર્વાદરૂપ
ગુજરાતના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન ક્ષમતા અને નવીન વિચારસરણી વિકસાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા 'નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026' માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ભારત સરકારના NCSTCના માર્ગદર્શન હેઠળ યોજાતા આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજકોસ્ટ ગુજરાત રાજ્યમાં કો-ઓર્ડિનેટર તરીકે ઉત્સાહપૂર્વક આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમ બાળકોને પોતાના વિસ્તારની સમસ્યાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને તેના વ્યવહારુ અને ટકાઉ ઉકેલો રજૂ કરવાની અનોખી તક પૂરી પાડે છે.