વર્લ્ડ બેંકે નાણાકીય કટોકટીના નિષ્ણાત કાર્મેન રેઇનહર્ટને મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કર્યા નિયુક્ત
Live TV
-
કાર્મેન રેઇનહર્ટહાલમાં આઇએમએફ અને ન્યુ યોર્ક ફેડરલ રિઝર્વના સલાહકાર બોર્ડમાં પણ કાર્યરત છે.
વર્લ્ડ બેંકે કોરોનના કપરા કાળમાં નાણાકીય કટોકટીના નિષ્ણાત કાર્મેન રેઇનહર્ટને મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્ત કર્યા છે. વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો પર કોરોનાવાયરસ રોગચાળાની ભયંકર આર્થિક અસરો થઈ છે. રેઇનહર્ટનો અનુભવ અને આંતરદૃષ્ટિ અમૂલ્ય સાબિત થશે. તેઓનું કામકાજ 15 જૂનથી શરૂ થશે.
હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર, રેઇનહાર્ટે હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી કેનેથ રોફોગ સાથે મળીને "ધીસ ટાઇમ ઇસ ડિફરન્સ: એઇટ સેન્ચ્યુરીઝ ઓફ ફાઈનાનન્સિયલ ફોલી" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. રેઇનહાર્ટે પીએચ.ડી. કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું અને હાર્વર્ડ કેનેડી સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર શીખવે છે.
