RBI એ કરંટ એકાઉન્ટ ખોલાવવા અંગેની સમય મર્યાદા વધારીને 31 ઓક્ટોબર કરી
Live TV
-
ભારતીય રીઝર્વ બેન્કે કરંટ એકાઉન્ટ ખોલાવવા અંગે સુધારેલા નિયમોના અમલ માટેની સમય મર્યાદા વધારીને 31મી ઓક્ટોબર કરી છે. રીઝર્વ બેન્કે કરંટ ખાતા અંગેના સુધારેલા નિયમોના અમલ વખતે ખાતાધારકોને મુશ્કેલી ન થાય તે ઉપર દેખરેખ રાખવા મુખ્ય કાર્યાલય તથા ઝોનલ ઓફિસોમાં અલાયદી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી છે.
રીઝર્વ બેન્કે નવા નિયમોના અમલ માટે વધારેલ સમયગાળાનો ઉપયોગ બેન્કોએ ખાતાધારકોને નડતી મુશ્કેલી દૂર કરવા માટે કરવા બેન્કોને સૂચના આપી છે.
