અંબાજી યાત્રાધામનો ઝેડ કેટેગરીમાં સમાવેશ
Live TV
-
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇભક્તોના ઘોડાપૂર ઉમટતા હોઇ સુરક્ષાની દ્રષ્ટીએ ઝેડ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર મુખ્ય માર્ગથી સો મીટર અંદર હોય આગ લાગવા જેવી અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 26 લાખના ખર્ચે અલાયદી અગ્નિશામક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં પાણી બેજ, પાઉડર બેજ, કાર્બન ડાયોકસાઇડ બેજ જેવા છ પ્રકારના 95 જેટલા અગ્નિશામક મીની સિલેન્ડર મંદિર ટ્રસ્ટને ફાળવવામાં આવ્યા છે. સાથે જ મંદિર ટ્રસ્ટના કર્મીઓને આ અંગે ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.
