અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટીનાં કેસમાં બમણો વધારો જોવા મળ્યો
Live TV
-
અમદાવાદમાં ગરમીને લઈ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ગત મહિના કરતા ચાલુ મહિનામાં ઝાડા ઊલટીનાં કેસમાં બમણો વધારો જોવા મળ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે ગત મહિને 50 જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી, જ્યારે ચાલુ મહિને 25 દિવસમાં 130 થી વધુ દર્દીઓએ સારવાર લીધી છે. સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, કાળજાળ પડી રહેલી ગરમીને લઈ પાણી જન્ય રોગચાળો વકર્યો છે. શહેરીજનોએ અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધ લોકોએ બપોરનાં 12 થી 5 ના સમયગાળા દરમ્યાન બિનજરૂરી બહાર જવું ટાળવું જોઈએ.
