અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરીજનોને બસોમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત
Live TV
-
દિવાળીના તહેવારની ખરીદી માટે માર્કેટમાં મોટા પ્રમાણમાં લોકો જોવા મળી રહ્યા છે.તેવામાં આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરીજનોને ખાસ ભેટ આપી છે.
તહેવારના ત્રણ મહત્વના દિવસો ધનતેરસ , કાળી ચૌદસ અને દિવાળી એમ 3 દિવસ દરમિયાન બસોમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરાઈ છે.. આ જાહેરાત સ્વદેશી ઝુંબેશને પ્રોત્સાહન આપવા અને તહેવાર દરમિયાન ટ્રાફિક જામ ઘટાડવા માટે કરવામાં આવી છે, જેથી લોકો વધુને વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને ખરીદી કરી શકે અને પોત-પોતાના સ્વજનો પાસે જઈ શકે.
