Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચાવ કામગીરી, ગૃહમંત્રી અમિત શાહે CM સાથે કરી વાત

Live TV

X
  • અમદાવાદ શહેરના મેઘનાનગર આઈજીપી કોમ્પ્લેક્સમાં એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું છે. વિમાને બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી હતી અને 1.40 વાગ્યે એક ઇમારત સાથે અથડાયું હતું. વિમાનમાં લગભગ 242 મુસાફરો સવાર હતા.

    તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી. અમદાવાદમાં એર ઈન્ડિયાના પેસેન્જર વિમાન દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવા અને ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર આપવા સૂચનાઓ આપી છે. ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી. 

    મુખ્યમંત્રીને ઘટનાની માહિતી મળતાની સાથે જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોશી અને સંબંધિત વરિષ્ઠ સચિવોને ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને પ્રાથમિકતાના ધોરણે હોસ્પિટલોમાં સારવાર માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી અને વિમાન દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરી માટે NDRF ટીમો મોકલવાની અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply