આગામી વર્ષોમાં તમામ જિલ્લાઓમાં સાઈબર પોલીસ સ્ટેશનનું નિર્માણઃ પ્રદીપસિંહ જાડેજા
Live TV
-
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે, કે સાઇબર ક્રાઇમ બનતા અટકે તે માટે ડિજિટલ ગુજરાતે એક નક્કર કદમ ઉઠાવીને, ''વિશ્વાસ'' અને ''સાઇબર આશ્વસ્ત'' પ્રોજેકટ કાર્યાન્વિત કરીને, નાગરિકોને સાયબર સુરક્ષા પૂરા પાડીને દેશને નવો રાહ ચીંધ્યો છે.
સાઇબર ક્રાઇમને અંકુશમાં લેવા માટે, રાજ્યકક્ષાએ રીજીયોનલ સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટરની પણ રચના કરી દેવાઇ છે. એ જ રીતે, રાજ્યમાં ચાર મોટા શહેરોમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અને નવ રેન્જમાં સાયબર ક્રાઇમ સેલ કાર્યરત કરી દીધા છે. આગામી વર્ષોમાં તમામ જીલ્લાઓમાં સાઇબર પોલીસ સ્ટેશન ઊભા કરવાનું આયોજન છે.
