ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગીરના સાવજોની વહારે વનવિભાગ: 250 જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરાયા
Live TV
-
ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે 250 જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે.
તેમજ આંબરડી પાર્કમાં વસવાટ કરતા સિંહદર્શન માટેના જે સિંહ પરિવાર છે એમને માટે કુલર ઓગર જેવી અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે એ સિવાય જંગલની અંદર વધતાં હરણ રોજ પક્ષીઓ તેમજ મધમાખી માટે પણ વ્યવસ્થા પાણીની સ્ત્રોત ઊભી કરી છે.ગીરના સાવજો માટે વનવિભાગ સજ્જ બન્યું છે. ધારી ગીર પૂર્વના વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી 8 રેન્જમાં 250 જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અને સિંહોને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછત ના રહે તે વનવિભાગ ખડેપગે . અને આઠ રેન્જમાં બીટ ગાર્ડને પાણી ભરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ધારી ગીર વનવિભાગ સિંહો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન બાબતમાં કટિબધ્ધ .
