ઉપમુખ્યમંત્રીએ નવી સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ
Live TV
-
અમદાવાદના અસારવા ખાતેની 1450 કરોડના ખર્ચે તૈયાર થયેલ અતિ આધુનિક સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ નવા ભવનના નિરીક્ષણ અર્થે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ નવું બિલ્ડિંગ 3.2 એકરમાં વિસ્તરેલું છે. સાથે જ સિવિલ હોસ્પિટલ કુલ સાત હજાર બેડ સાથેની વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ છે. જેમાં 27 હાઈ ક્લાસ ઓપરેશન થિયેટરનો પણ સમાવેશ થાય છે.
