Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

Live TV

X
  • કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી.

    આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પ્રતિમા માત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રીની જ નહીં, પરંતુ સ્વતંત્ર ભારતનો પાયો મજબૂત બનાવનાર એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણ માટેના સંકલ્પનું પણ પ્રતિક છે.

     સિંધિયાએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિચાર અને ભારતની સાંસ્કૃતિક શક્તિમાં તેમના અટલ વિશ્વાસનું પરિણામ છે. તેમણે કહ્યું કે આ પ્રતિમા આપણને યાદ અપાવે છે કે ભારતની સાચી શક્તિ વિવિધતામાં તેની એકતામાં રહેલી છે. સરદાર પટેલે જે ભારતને એક કર્યું હતું તે આજે આત્મનિર્ભરતા અને વિકાસના માર્ગ પર મજબૂતીથી આગળ વધી રહ્યું છે.

    સિંધિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ સરદાર પટેલના "એક ભારત, શ્રેષ્ઠ ભારત" ના વિઝનનું વિસ્તરણ છે. તેમણે કહ્યું કે ડિજિટલ પરિવર્તન, આત્મનિર્ભરતા અને નવીનતા તરફ ભારત આજે જે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે તેનું મૂળ સરદાર પટેલે આપણામાં સ્થાપિત કરેલી એકતા અને રાષ્ટ્રીય ભાવનામાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply