ગીર અભ્યારણયમાં શનિવારથી સિંહોનો પ્રજનન કાળ શરૂ
Live TV
-
ચાર મહિના માટે સિંહોને વેકેશન, પ્રવાસીઓ માટે દેવલીયા પાર્ક ચાલુ રહેશે.
સાસણ ગીર જંગલમાં સિંહ દર્શનનો છેલ્લો દિવસ હતો. 16જૂનથી 16 ઓકટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે અને વનરાજો ચાર મહિનાનું વેકેશન માણશે. ચોમાસાની ઋતુ સિંહ સહીત વન્ય સૃષ્ટિઓનો પ્રજનન કાળ હોય છે. આ દિવસોમાં પ્રાણીઓને ખલેલ ન પડે તેમજ વરસાદને કારણે જંગલના રસ્તાઓ પણ પ્રભાવિત થતા હોય છે. રાજયના વન વિભાગ દ્રારા ગીર પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવે છે. જૂનાગઢ મુખ્ય વન સૌરક્ષક ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતુ કે પ્રવાસીઓની સુવિધા માટે દેવલિયા પાર્ક ખુલ્લું રહેશે. જયાં પ્રવાસીઓ જંગલ અને પ્રકૃતિનો આનંદ માણી શકશે.
