જાપાનીઝ ટેક્નોલોજી મિયાવાકી પદ્વતિથી મોરબીમાં વૃક્ષારોપણ
Live TV
-
ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ ગામને નંદનવન બનાવવા કરાઈ અનોખી પહેલ
મોરબી જિલ્લામાં ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી ટેકનોલોજી પદ્વત્તિથી વૃક્ષારોપણ કરી જિલ્લાના ગામોને નંદનવન બનાવવા અનોખી પહેલ કરાઈ છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત હાલ વિવિધલક્ષી અભિયાન હેઠળ ગામે ગામમાં વનીકરણ કરાઈ રહ્યું છે. મિયાવાકી પદ્વતિ મુજબ ખાડો બનાવીને વારાફરતી એક બાદ એક માટી અને ખાતરનું પડ ચડાવી તેમાં વૃક્ષના છોડ તેમજ રોપાનું વાવેતર કરવામાં આવે છે. મિયાવાકી પદ્વતિથી વાવેતરથી વૃક્ષો ઝડપભેર ઉછરે છે. ત્યારે હાલ મોરબી જિલ્લામાં પણ પ્રેરક પહેલ સાથે ગામની બંજર જમીનને હરિયાળું બનાવવા આ અભિયાન હાથ ધરાયું છે.
