Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ દુર્ઘટના સ્થળનું નિરિક્ષણ કરીને દુર્ઘટનાની ઝીણામાં ઝીણી વિગતો મેળવી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા.તેમજ મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના પણ આપી

    અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાની ગંભીરતાને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ પહોંચ્યા હતા.એરપોર્ટથી જ સીધા તેઓ વિમાન દુર્ઘટના સ્થળે પહોંચ્યા,જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી  તેમજ ઉડ્ડ્યન મંત્રી પણ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રીએ દુર્ઘટના સ્થળનું નિરિક્ષણ કરીને  ઘટનાની ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી.ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અને  ઇજાગ્રસ્તોના  ખબર અંતર પૂછ્યા હતા.તેમજ મૃતકના પરિવારજનોને મળીને  સાંત્વના પણ આપી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોષી પાસેથી તમામ જાણકારી મેળવી હતી.આ સાથે જ આ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસ સાથે પણ મુલાકાત કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. હાલમાં અંજલિબેન ગાંધીનગર ખાતે પહોંચ્યા છે.તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને  મોટી સંખ્યામાં લોકો તેમને સાંત્વના આપવા પહોંચ્યા છે.જેમાં ભાજપના નેતાઓ તેમજ મંત્રીઓ કુબેર ડીંડોર, મૂળુ બેરા, કુંવરજી બાવળિયા,ભાનુબેન બાબરિયા સહિતના લોકોનો સમાવેશ થાય છે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply