પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી: સુરતના વરિષ્ઠ નાગરિકોએ વડનગરમાં મહાયજ્ઞ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી: સુરતના વરિષ્ઠ નાગરિકોએ વડનગરમાં મહાયજ્ઞ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, સુરતના 3,000 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ તેમના આભાર પ્રગટ કરવા માટે એક અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવના પરિસરમાં એક ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વરિષ્ઠ નાગરિકોને પ્રધાનમંત્રી વયવંદના યોજના હેઠળ કાર્ડ આપવામાં આવ્યા હતા, જેના આભાર સ્વરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુરતથી 75 લક્ઝરી બસોમાં વરિષ્ઠ નાગરિકો વડનગર પહોંચ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન, વરિષ્ઠ નાગરિકોએ મહાયજ્ઞમાં પૂજન-અર્ચન કરીને પ્રધાનમંત્રી માટે દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. આ સાથે, તેમણે મહાયંત્રની પણ પૂજા કરી હતી. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી પ્રત્યે વરિષ્ઠ નાગરિકોના પ્રેમ અને સન્માનને દર્શાવે છે.
