પ્રાકૃતિક બાયો-ઇનપુટ્સ: જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત ખેતીને બનાવશે સમૃદ્ધ
Live TV
-
રાસાયણિક ખેતીના વધતા પ્રભાવ સામે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી આજના સમયની તાતી જરૂરિયાત છે.
પંચમહાલના હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં 15 હેક્ટરમાં સંશોધન ફાર્મ કાર્યરત છે, જ્યાં ગીર અને ડગરી વંશના ગૌવંશના ગોબર-ગૌમૂત્રથી બાયો-ઇનપુટ્સ તૈયાર કરવામાં આવે છે.જીવામૃત જમીનમાં સૂક્ષ્મજીવો વધારી ફળદ્રુપતા સુધારે છે, જ્યારે ઘનજીવામૃત જમીનમાં ભેજ જાળવી રાખી કાર્બનનું પ્રમાણ વધારે છે.વાવણી પહેલાં બીજની માવજત માટે વપરાતું બીજામૃત બીજની અંકુરણ ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.આ બાયો-ઇનપુટ્સ ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડી, ઓછી કિંમતમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં અને જમીનની લાંબા ગાળાની ઉપજાઉ શક્તિ જાળવવામાં મદદરૂપ બને છે.
