પ્લેન ક્રેશમાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન, સી આર પાટીલે વ્યક્ત કર્યું દુ:ખ
Live TV
-
ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. તેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. આ પ્લેનમાં વિજય રૂપાણી તેમના પરિવારને મળવા જતા હતા આ દુર્ઘટનમાં તેમનું પણ નિધન થયું છે.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું, ગુજરાતના લોકોએ ક્યાંરે વિચાર્યું પણ ન હતું એટલી મોટી દુર્ઘટના ઘટી છે કે તેના ગુજરાત અને દેશીની પ્રજા દુખી છે. ઈન્ટરનેશનલ પ્લેનમાં જવાવાળા વ્યક્તિઓને ખૂબ મોટી ક્ષતિ થઈ છે તેમને કોઈ મોકો જ ના મળ્યો. અને શહેરની વચ્ચે હોવા છતા અમે કશું જ ના કરી શક્યા જેનું ખૂબ દૂ:ખ છે. ભગવાન તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાથના કરીએ છીએ. મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો પર જે મુશ્કેલી આવી પડી છે તેને સહન કરવાની ભગવાન તેમને શક્તિ આપે. અને અમારા માટે તો અમારા નેતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ જ પ્લેનમાં તેમના પરિવારને મળવા જઈ રહ્યાં હતા તે પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. ભગવાન તેમની પણ આત્માને શાંતિ અર્પે.
ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. અમિત શાહ દુર્ઘટના અંગેની તમામ જાણકારી મેળવી. અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘટનાનું નિરીક્ષણ કર્યું, તેમને જણાવી દઈએ કે ટાટા ગ્રુપે મૃતકોના પરિવારને 1-1 કરોડની સહાયની જાહેરાત કરી છે આ સાથે જ BJ મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ પણ બનાવી આપશે.