Skip to main content
Settings Settings for Dark

ભારતીય સંત સાહિત્ય અને આધ્યાત્મિક ચેતના: વડોદરામાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

Live TV

X
  • વિશ્વના અનેક દેશો તૂટી ગયા છે, પરંતુ ભારતએ એકમાત્ર સંસ્કૃતિસંપન્ન દેશ છે જ્યાં સૈંકડો બોલીઓ અને ભાષાઓ છે.

    પ્રદેશ પ્રમાણે લોકોના રિવાજો અલગ છે, છતાં દેશ એકતાના સૂત્રમાં બંધાયેલો છે. અંગ્રેજોએ આપણા દેશના સ્વાભિમાનને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ શાસન કરી શકે. પરંતુ આપણા દેશનો આધ્યાત્મિક ભાવ આપણને વિવિધતાઓ વચ્ચે પણ એકતામાં બાંધે છે. આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર-સહકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલે કહી હતી. તેઓ મંગળવારે ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીમાં આયોજિત “ભારતીય સંત સાહિત્ય અને આધ્યાત્મિક ચેતના” વિષયક એકદિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આપણા વૈદિક ઋષિઓએ આધ્યાત્મિકતાની શોધ કરી છે. વૈદિક દર્શનને લોકભાષાઓ દ્વારા જનસામાન્ય સુધી પહોંચાડવામાં આવ્યું. આપણા સંતોએ જીવનમૂલ્યોની રચના કરીને આપણો ભવિષ્યનો માર્ગ પ્રસસ્ત કર્યો અને દેશની એકતાને જાળવી રાખી.

    આ પ્રસંગે અન્ય માનનીય અતિથિ અને પ્રખ્યાત અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉ. ઓમપ્રકાશ પાંડેએ જણાવ્યું કે ભારતીય શાસ્ત્રોમાં માત્ર સમાજ નહીં પરંતુ લોકકલ્યાણની પણ વાત કરવામાં આવી છે. તેમાં જાતિ અને વર્ગભેદ માટે કોઈ સ્થાન નથી; તેમાં વૈદિક દૃષ્ટિએ એકત્વનો સંદેશ છે. સમાજ સુધાર માટે સંતોએ વિશાળ પ્રવાહ ઊભો કર્યો છે. રાજસ્થાન વિદ્યાપીઠના કુલપતિ પ્રો. શિવસિંહ સારંગદેવોતે જણાવ્યું કે સંતોએ સમાજને સંસ્કાર આપ્યા છે. ભારતીય સંત પરંપરા હંમેશા માનવ કેન્દ્રિત રહી છે. માનવતાની પાયાની ઉપર લખાયેલું સાહિત્ય જ સંત સાહિત્ય છે. તેમણે સંત સાહિત્યના અનુભવને અમૃત સમાન ગણાવ્યો. આ અવસરે ચાર સંત સાહિત્ય પુસ્તકોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.

    વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. રમાશંકર દુબેએ અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યું કે ભારત એ આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખનાર દેશ છે. જુદા જુદા સમયગાળામાં સંતોએ અહીં જ્ઞાન અને ભક્તિને સતત વહાવવાનું કાર્ય કર્યું છે. તેમણે મહામના પંડિત મદનમોહન માલવીયજીના વિચારોને જીવંત રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી.કેન્દ્રના અધ્યક્ષ પ્રો. રાજેશ મકવાણાએ તમામ અતિથિઓનું સ્વાગત ઉદબોધન આપ્યું. આ પ્રસંગે માનવ વિકાસ મંત્રાલયના પૂર્વ રાજ્ય મંત્રી ડૉ. સત્યપાલ મલિક, રાજસ્થાન વિદ્યાપીઠના કુલાધિપતિ પ્રો. બલવંત જાની, એસપિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલ, એસજિજિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કટારિયા સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કેન્દ્રના સભ્ય ડૉ. પ્રેમલતા દેવીએ કર્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply