મહિસાગર જિલ્લામાં મામલતદાર કચેરીમાં ઈવીએમ નિર્દેશન કેમ્પ
Live TV
-
આગામી 23 એપ્રિલના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મહિસાગર જિલ્લામાં મામલતદાર કચેરીમાં ઈવીએમ નિર્દેશન કેમ્પ અને મતદાન અંગેની સમજ મતદારોને અપાઈ રહી છે. જેના ભાગરૂપે બાલાસિનોરમાં ચૂંટણી વિભાગના નાયબ મામલતદાર દ્વારા મતદારોને ઈવીએમ વિશેની સમજ અને મતદાન કેવી રીતે કરવું તેની સમજૂતી આપવામાં આવી હતી.જેથી મતદાર પોતાનો કિંમતી મત યોગ્ય ઉમેદવારને આપી શકે.
