મુખ્યમંત્રીએ રૂ. 14.51 કરોડની મંજુરી ભાવનગર મહાનગરપાલિકાના પાણી પુરવઠાના વિવિધ કામો માટે આપી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે રૂપિયા 14.51 કરોડની મંજુરી ભાવનગર મહાનગરપાલિકાના પાણી પુરવઠાના વિવિધ કામો માટે આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરના અધેવાડા વિસ્તાર માટે એક જ દિવસમાં પાણી પૂરવઠાના વિવિધ કામો માટે સૈધ્ધાંતિક મંજુરી આપી છે. આશરે 25 હજારની જનતાની પાણીની સમસ્યા દૂર કરી છે.
ભાવનગરના મેયર એ જણાવ્યું કે, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને રજૂ કરેલી દરખાસ્તની મુખ્યમંત્રી દ્વારા ત્વરીત મંજુરી આપવામાં આવી છે. ડ્રેનેજ કમિટિના ચેરમેને જણાવ્યું કે, મુખ્યમંત્રીના આ નિર્ણયથી અધેવાડા તથા તેની આસપાસની સોસાયટીના પાણીના પ્રશ્નો ઉકેલાઈ જશે.
