મુખ્યમંત્રીએ લાભપાંચમના દિવસે રાજયના વિકાસ માટે કરી પ્રાર્થના
Live TV
-
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લાભપાંચમના પવિત્ર દિવસે ‘‘મા’’ અંબાના પાવન ધામ અંબાજી મંદિરમાં જગતજનની ‘‘મા’’ અંબાના દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લાભપાંચમના પવિત્ર દિવસે ‘‘મા’’ અંબાના પાવન ધામ અંબાજી મંદિરમાં જગતજનની ‘‘મા’’ અંબાના દર્શન કર્યા હતા. ભારતના 52 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ ગણાતા અંબાજીમાં શક્તિ સ્વરૂપા ‘‘મા’’ અંબાના દરબારમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવું છું. ગુજરાતને વિકાસના માર્ગ પર સતત આગળ ધપાવતા રહેવા માટેની ઊર્જા પ્રદાન કરવા ‘‘મા’’ ના ચરણોમાં પ્રાર્થના કરી.
