મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું થશે વિસ્તરણ, શુક્રવારે શપથવિધિ યોજાશે
Live TV
-
આખરે છેલ્લાં ઘણા દિવસોથી જેની ચર્ચા ચાલી રહી હતી, કે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ત્યારે મંત્રીમંડળના વિસ્તરણની અનેક અટકળો અને તર્ક-વિતર્ક વચ્ચે ચાલતી ચર્ચાનો અંત આવી ગયો છે. કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થઈ ગઈ છે. અને શુક્રવાર સવારે શપથ વિધિ સમારોહ યોજાશે..
આખરે છેલ્લાં ઘણા દિવસોથી જેની ચર્ચા ચાલી રહી હતી, કે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ત્યારે મંત્રીમંડળના વિસ્તરણની અનેક અટકળો અને તર્ક-વિતર્ક વચ્ચે ચાલતી ચર્ચાનો અંત આવી ગયો છે. કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થઈ ગઈ છે. અને શુક્રવાર સવારે શપથ વિધિ સમારોહ યોજાશે..
આજે સાંજ સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. અને શુક્રવાર સવારે ગાંધીનગરમાં નવા મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ સમારોહ યોજાશે... શપથ વિધિ સમારોહની જાહેરાત થતાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ શપથવિધિ સમારોહ શુક્રવાર સવારે 11 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે... ત્યારે ગાંધીનગર ખાતે યોજાનારા શપથ વિધિ સમારોહમાં કેન્દ્રના અમુક નેતાઓ ઉપરાંત ગુજરાતના નેતાઓ સહિત કાર્યકરો મોટીસંખ્યામાં હાજર રહી શકે છે...
