મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 68 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરનું કર્યું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની શહેરીકરણ સુવિધા અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 68 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું રાજ્યમંત્રી કૌશિક વેકરીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ અવસરે ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમા તથા શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા દેશના શહીદો-વીરો પ્રત્યે ભાવવંદના વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીએ બ્યુટીફિકેશનના પ્રવાસનલક્ષી મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ બાદ આ રમણીય સરોવર ખાતે વિકસાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીએ સરોવરના લોકાર્પણની સાથોસાથ અંદાજે ₹26 કરોડના ખર્ચે રાજ્ય સરકારની યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના 9 આધુનિક ફાયર વાહનોનું પણ લોકાર્પણ કરી ફ્લેગ-ઑફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.
