મોરબી દુર્ધટનામાં ઇજાગ્રસ્ત લોકોને મોરબી ઉપરાંત રાજકોટ અને આસપાસના શહેરોમાં ખસેડાયા
Live TV
-
રવિવારે રજાના તહેવારોની મજા માણી રહેલા પ્રવાસીઓથી ભરેલો ફૂટબ્રિજ તૂટી પડતાં ભારે જાનહાનિ થઈ હતી. નદીમાં ડૂબી જતાં અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં હતાં. આ ફૂટબ્રિજ તૂટતાં લોકોએ પુલના દોરડાઓ પકડીને પોતાનો જીવ બચાવ્યો હતો. કેટલાક લોકો નદીના કાંઠે જવાનો પ્રયાસ કરવા માટે તૂટેલા પર ચઢી ગયા હતા, જ્યારે અન્ય લોકો સલામત રીતે તરી ગયા હતા. આ જાનહાનિમાં સંખ્યાબંધ બાળકોનો સમાવેશ થાય છે.
230 મીટરનો આ પુલ 19મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. તે 6 મહિના માટે નવીનીકરણ માટે બંધ રખાયો હતો અને ગયા અઠવાડિયે જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું. આ પૂલની ક્ષમતા 100થી વધુની છે, પરંતુ ઘટના ઘટિત થઈ એ સમયે 400 થી વધુ લોકો સસ્પેન્શન પુલ પર અને તેની આસપાસ હાજર હતા.
ઝૂલતો પુલ તુટવાની ઘટના બાદ મોરબી હોસ્પિટલમાં અનેક લોકોને સારવાર માટે લઈ જવાયા હતા. મોરબીની હોસ્પિટલમાં જગ્યા નાની પડતા, ઇજાગ્રસ્ત લોકોને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. મોરબી શહેરના ખાનગી તબીબો પણ મદદ માટે આવી ગયા હતા. સાથે જ જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છની 108 એમ્બ્યૂલ્સ અને મેડિકલ તેમજ પેરા મેડિકલ ટીમ પણ પહોંચી હતી.
