રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 117 કેસ નોંધાયા, 02 મોત
Live TV
-
રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 117 કેસ નોંધાયા છે જેમાંથી અમદાવાદ શહેરમાં 58, વડોદરા શહેરમાં 10, વડોદરા જિલ્લામાં 08, સુરત જિલ્લામાં 07, ગાંધીનગર શહેરમાં 04, રાજકોટ શહેરમાં 04, સુરત શહેરમાં 04, અમદાવાદ, આણંદ, બનાસકાંઠામાં 3-3, ગાંધીનગર, નવસારી, રાજકોટમાં 2-2, કચ્છ, મોરબી, પંચમહાલ, તાપી, વલસાડમાં 1-1 નવા કેસ નોંધાયા છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1820 એક્ટિવ કેસ છે. જે પૈકી 22 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1,798 નાગરિકો સ્ટેબલ છે. 12,09,878 ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,930 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. તો આજે કોરોનાને કારણે કુલ 2 નાગરિકોનાં મોત થયા છે. એક મોત અમદાવાદ કોર્પોરેશન અને એક મોત વડોદરા કોર્પોરેશનમાં થયું છે.
