રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતે
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે સાંજનું ભોજન ગ્રહણ કર્યું હતું.
રાજ્યપાલએ હસમુખ ,ભીમજી મેવાડાના ઘરે પરિવારના સભ્યની જેમ મગની દાળ, ભાત, દૂધી-તુરીયાનું શાક, બાજરીના રોટલા, જુવારના રોટલા, રવાનો શિરો, દેશી ગાયનું દૂધ, ઘી, ગોળ સાથે ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
આ ઉપરાંત રાજ્યપાલએ મેવાડા પરિવારના બાળકોના અભ્યાસ વિશેની વિગતો મેળવી, શિક્ષણ અને સંસ્કારની મહત્તા જણાવી હતી. તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
