રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 કેસ નોંધાયા, 2 દર્દીના મોત
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત થયા છે.
ગુજરાતમાં જિલ્લાવાર કોરોનાની સ્થિતિ પર એક નજર કરીએ તો, અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા, વડોદરામાં 9, સુરતમાં 2, નોંધાયા, ગાંધીનગર જિલ્લામાં 2, અરવલ્લી, બનાસકાંઠા, જામનગર, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે રાજકોટ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે. જયારે રાજયમાં અત્યારસુધી કુલ મૃત્યુઆંક 10,937 પહોંચી ગયો છે.
રાજયમાં હાલ કોરોનાના કુલ 813 એકટીવ કેસ છે. જેમાં 06 દર્દી વેન્ટીલેટર પર છે. જયારે 807 દર્દીઓની હાલત સ્થિર છે. રાજયમાં કુલ ડિસ્ચાર્જ દર્દીઓનો આંકડો 12,11, 555 પહોંચ્યો છે. આ સાથે રાજયમાં કોરોનાનો રીકવરી રેટ 99.04% જેટલો છે.
