રામપરા વન્યપ્રાણી અભયારણ્ય: વન્યજીવો માટે સુરક્ષિત નંદનવન અને જ્ઞાનનું કેન્દ્ર
Live TV
-
વાંકાનેરનું રામપરા વન્યપ્રાણી અભયારણ્ય આજે વન્યજીવો માટે સુરક્ષિત નંદનવન સમાન છે.
15 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ જંગલમાં એશિયાઈ સિંહોનું 'જીન-પૂલ સેન્ટર' તથા ચિત્તલ અને ચિંકારા માટે 'બ્રીડિંગ સેન્ટર' કાર્યરત છે. અહીં 20થી વધુ પ્રાણીઓ અને 150થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ સાથે 400 જેટલી દુર્લભ ઔષધિઓનો અમૂલ્ય ખજાનો પણ છે.વન વિભાગ દ્વારા વન્યજીવો માટે આધુનિક હોસ્પિટલ, પક્ષીઓ માટે ફળદ્રુપ વૃક્ષો અને પાણી માટે વિશેષ તળાવોની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાઓને કારણે રામપરા અભયારણ્ય આજે પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને શિક્ષણનું એક મહત્વનું કેન્દ્ર બન્યું છે.
