Skip to main content
Settings Settings for Dark

સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓ માટે બે એસ્કેલેટરનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • સાંસદ અમદાવાદ પશ્ચિમ, ડૉ. કિરીટ સોલંકી દ્વારા 09 જૂન, 2022ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8/9 પર રેલવે યાત્રીઓ માટે બે એસ્કેલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં મંડલ રેલવે પ્રબંધક તરૂણ જૈને સાંસદ ડો.કિરીટ સોલંકીનું સ્વાગત કર્યું હતું. સાંસદ ડૉ.કિરીટ સોલંકીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમદાવાદ રેલવે સ્ટેશન અગ્રણી સ્ટેશન છે. જેના પ્લેટફોર્મ નંબર 8/9 પર રૂ.75 લાખનાં ખર્ચે બે એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ પ્રતિ કલાક 6000 યાત્રીઓ કરી શકશે. ખાસ કરીને વિકલાંગ અને વૃદ્ધો માટે ખુબ જ ઉપયોગી થશે. રેલવે સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી.

    આ પ્રસંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ, વરિષ્ઠ મંડળ વિદ્યુત ઈજનેર કુમાર સંભવ પોરવાલ, મંડળ વિદ્યુત ઈજનેર રજની યાદવ સહિત અન્ય રેલવે અધિકારીઓ, કર્મચારીઓ તથા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply