સુરતના અંત્રોલી ગામની સીમમાંથી મોર તેમજ અન્ય પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર
Live TV
-
અંત્રોલી ગામની સીમમાં આવેલ ગૌશાળા ટ્રસ્ટની ખુલ્લી જમીન ઉપરાંત આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં મોર અને અન્ય વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર તેમજ અન્ય પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામની સીમમાં આવેલ ગૌશાળા ટ્રસ્ટની ખુલ્લી જમીન ઉપરાંત આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં મોર અને અન્ય વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર તેમજ અન્ય પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. મોરના મોતની માહિતી મળતા જ વન વિભાગ તેમજ બારડોલી ફ્રેન્ડસ ઓફ એનિમલની ટીમ અંત્રોલી પહોંચી હતી. તેમણે 5 મોર, 3 ઢેલ અને 3 અન્ય પક્ષીઓના મૃતદેહ કબ્જે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જોકે વન વિભાગ પણ ગંભીરતા દાખવી લાઇલ્ડ લાઇફ એકટ 1972 મુજબ વધુ તપાસ હાથ ધરી છે.
