સુરતના ઘોડદોડ રોડ ખાતે રૂ.16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણગૃહનું ખાતમુહૂર્ત
Live TV
-
સુરત ખાતે રૂ.16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણગૃહનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઘોડદોડ રોડ ખાતે કલામંદિર જવેલર્સની સામે G+2 માળનું નવું નારી સંરક્ષણગૃહ બનશે, જેમાં 101 પીડિત, શોષિત મહિલાઓ આશ્રય લઇ શકશે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકર, વિભાગના નાયબ કમિશનર મનીષાબેન પટેલ, નાયબ નિયામક ડી. બી. પંડ્યા, નિયામક(મહિલા કલ્યાણ) પી. એ. નિનામા, પ્રાંત અધિકારી વી.જે. ભંડારી, જિલ્લા પૂરવઠા અધિકારી દર્શન શાહ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન નારી સંરક્ષણ ગૃહમાં હાલ 24 મહિલા બહેનો અને 1 બાળક એમ કુલ 25 આશ્રિતો આશ્રય મેળવી રહ્યા છે.જનનીધામ કેમ્પસ, આંબોલી, તા.કામરેજ ખાતે હાલ કાર્યરત નારી સંરક્ષણ ગૃહમાં 18 થી 59 વર્ષની વય ધરાવતી કોઈ પણ પ્રકારની ઘરેલું હિંસા, જાતિગત હિંસા કે દુર્વ્યવહારથી પીડિત મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. હાલ ગૃહમાં 24 મહિલા બહેનો અને 1બાળક એમ કુલ 25 આશ્રિતો આશ્રય મેળવી રહ્યા છે. જેઓને નવું ગૃહ તૈયાર થયા બાદ શિફ્ટ કરવામાં આવશે.ખાસ કરીને ઘરેલુ હિંસા, કૌટુંબિક સમસ્યા, શોષણ કે આર્થિક સંકટથી પીડાતી મહિલાઓને તાત્કાલિક સુરક્ષા, આશ્રય અને સન્માનજનક જીવન આપવામાં આવે છે.
