સોમનાથ : યાત્રી સુવિધા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
Live TV
-
રૂ.૪૫.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિકાસના કામો ખુલ્લા મુકાયા
CM વિજયભાઈ રૂપાણીના હસ્તે સોમનાથ ખાતે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરી પ્રવાસી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે..ભારત સરકાર દ્રારા પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ખાતે વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું..સોમનાથ ખાતે ટુરિસ્ટ ફેસેલીટેશન સેન્ટર, ટોઈલેટ-બાથરૂમ અને કલોક રૂમ, ફ્રી પીકઅપ/ડ્રોપ બસ સેન્ટર, સોલાર પાર્કિંગ, વેઈટીંગ રૂમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પબ્લિક એડ્રેસ સીસ્ટમ, લાઈબ્રેરી, સતસંગ હોલ, શોવેનીયર શોપ અને પ્રવાસી માહિતી કેન્દ્ર સહિતની સવલતનો પ્રવાસીઓને નિશૂલ્ક લાભ મળશે..ઉપરાંત ૫૦૦ ટુ વ્હિલર, ૭૫૬ કાર અને ૮૧ બસની મર્યાદા ધરાવતુ વિશાળ પાર્કિંગ, કોમ્યુનીટી કિચન, સોમનાથ મ્યુઝિયમ, ઓડીટોરીયમ અને કેફેટેરીયા સહિતની સુવિધા ચાર્જેબલ રહેશે.તો સોમનાથ યાત્રી સુવિધા કેન્દ્ર સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રિબીન કાપી ખુલ્લું મુક્યું હતું..
