હવે તમામ ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજનામાં અરજી કરી શકશે
Live TV
-
યોજના માટે સુધારા બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આવી રહ્યાં
સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સુધારો કર્યો છે. પહેલા આ યોજનામાં 2 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક 6000 હજાર રૂપિયાનો લાભ મળતો હતો. જોકે હવે તમામ ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકશે. 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આ યોજના માટે સુધારા બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આવી રહ્યાં છે.
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે નજીકની ગ્રામ પંચાય માં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ યોજનામાં લાભ માટે જરૂરી કાગળો
આધારકાર્ડ
બેંક પાસબુક
8-અ ની નકલ આપવાની રહેશે. આ યોજના માં ખેડૂતો 15-07-2019 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
