3 કરોડથી વધુ પશુઓનું 'ખરવા-મોવાસા' મુક્ત કરવા રેકોર્ડબ્રેક રસીકરણ કરાયું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પશુપાલન ક્ષેત્રે એક નવી ઐતિહાસિક ઊંચાઈ સર કરી છે. રાજ્યના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ એવા પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ માટે 'ખરવા-મોવાસા' રોગ સામે રક્ષણ આપતું વ્યાપક રસીકરણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યના ૩ કરોડથી વધુ પશુઓને આ જીવલેણ વાયરસ સામે સુરક્ષિત કરવામાં આવ્યા છે.
1. હર્ડ ઇમ્યુનિટીમાં 80%નો વધારો: વાયરસ હવે નબળો પડ્યો
સરકારના સઘન પ્રયાસોને પરિણામે ગુજરાતમાં પશુઓમાં રોગપ્રતિકારક શક્તિ (Hurd Immunity) 80% સુધી પહોંચી ગઈ છે. વ્યાપક રસીકરણના પ્રતાપે રાજ્યમાં વાયરસનો ફેલાવો ઘટીને માત્ર 3% રહ્યો છે, જે પશુપાલન વિભાગની મોટી સફળતા દર્શાવે છે.2. લાઈવસ્ટોક હેલ્થ એન્ડ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ: ઘરે બેઠા રસીકરણ
માણસા તાલુકાના લોદરા સહિત રાજ્યભરના લાખો પશુપાલકો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે.નિઃશુલ્ક સેવા: પશુપાલન વિભાગની ટીમો દર છ મહિને પશુપાલકોના ઘરે જઈને પશુઓને રસી આપે છે.
આર્થિક ફાયદો: પશુઓ રોગમુક્ત રહેતા દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો નથી, જેનાથી પશુપાલકોની આવક જળવાઈ રહે છે.
3. ડિજિટલ ઇન્ડિયાનો પ્રભાવ: 'ભારત પશુધન પોર્ટલ' પર ઓનલાઇન નોંધણી
આ અભિયાનની સૌથી મોટી વિશેષતા તેની પારદર્શિતા અને ટેકનોલોજીનો ઉપયોગ છે.ઇયર-ટેગ: દરેક પશુને ૧૨ આંકડાનો બાર-કોડેડ 'ઇયર-ટેગ' લગાવવામાં આવે છે.
રીઅલ-ટાઇમ ડેટા: પશુની રસીકરણ અને સ્વાસ્થ્યની તમામ વિગતો 'નેશનલ ડિજિટલ લાઈવસ્ટોક મિશન' હેઠળ ઓનલાઇન પોર્ટલ પર નોંધવામાં આવે છે, જેથી એક પણ પશુ રસીકરણથી વંચિત ન રહે.
4. કરોડોનું આર્થિક નુકસાન અટકાવવાનું લક્ષ્ય
ખરવા-મોવાસા જેવા રોગોને કારણે દેશને વાર્ષિક અંદાજે ₹24,000 કરોડનું આર્થિક નુકસાન થતું હોય છે. ગુજરાતમાં આ નુકસાન અટકાવવા માટે 1.71 કરોડ પશુઓને વર્ષમાં બે વાર રસી આપવાનું લક્ષ્ય છે.વર્ષ 2024-25: 2.93 કરોડ રસીના ડોઝ અપાયા.
વર્ષ 2025-26: આ આંકડો વધીને 3.04 કરોડને પાર કરી ગયો છે.
