આજે વિશ્વ હિમોફીલીયા દિવસ
Live TV
-
આજે વિશ્વ હિમોફીલીયા દિવસ છે. હિમોફીલીયા વારસાગત રીતે ઉત્તરતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે. જેમાં દર્દીમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા ખામીયુક્ત હોય છે. માનવ શરીરમાં લોહી ગઠનું કાર્ય કરતાં ઘટકની ઉણપથી આ રોગ થાય છે. રાજ્યમાં આશરે પાંચ હજારથી વધુ હીમોફીલીયાના દર્દીઓ છે. રાજ્યની સુરત સિવિલ સહિત અન્ય હોસ્પિટલમાં આ રોગની સારવાર વિનામૂલ્યે કરાય છે. દર્દીઓને ઇન્જેક્શન દ્વારા ખૂટતા પરિબળની ઉણપ દૂર કરવામાં આવે છે. હીમોફીલીયા અંગે જાગૃત્તિ કેળવવા આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વર્ષની ઈવેન્ટની થીમ છે “સૌ માટે ઍક્સેસ: પ્રિવેન્શન ઓફ બ્લીડ એઝ ધ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઓફ કેર”
