કતારના રાસ લાફાન ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ 54 ઘાયલ અને 18 ગુમ
Live TV
-
કતારના મુખ્ય પ્રાકૃતિક ગેસ નિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા એક ધડાકામાં ઓછામાં ઓછા 54 લોકો ઘાયલ થયા છે, જ્યારે અન્ય 18 લોકો લાપતા છે.
રવિવાર રાત્રે દુનિયાના સૌથી મહત્વના એનર્જી હબ પૈકીના એક, રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ધડાકો થયો હતો. આ ધડાકો ત્યારે થયો જ્યારે વિસ્તારમાં ચાલી રહેલા ઝઘડાઓને કારણે બંધ પડેલી ફેસિલિટીમાં કામકાજ ફરી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. આ ઘટના બાદ બરઝાન ગેસ સપ્લાય ફેસિલિટીમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેના પછી ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સરકારી એનર્જી કંપની કતાર એનર્જીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે એક્સપોર્ટ ટર્મિનલના કેટલાક હિસ્સાઓને ફરીથી ચાલુ કરવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે જ ધડાકો થયો.નુકસાનનો અંદાજ હજુ સ્પષ્ટ નથી, પરંતુ કતારના ગૃહ મંત્રાલયે પાછળથી પુષ્ટિ કરી કે જાનહાનિની સંખ્યા શરૂઆતમાં જણાવવામાં આવેલી સંખ્યા કરતા ઘણી વધારે છે. અધિકારીઓએ જણાવ્યું કે ધડાકામાં ઓછામાં ઓછા 54 લોકો ઘાયલ થયા છે, જ્યારે ઘટનાના કલાકો પછી પણ 18 લાપતા કર્મચારીઓની શોધખોળ ચાલુ હતી.
બરઝાન ફેસિલિટી કતારના ગેસ આધારભૂત માળખાનો એક મહત્વનો હિસ્સો છે, જેની ઉત્પાદન ક્ષમતા લગભગ 1.4 બિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ સેલ્સ ગેસ પ્રતિ દિવસ છે. આનો ઉપયોગ મુખ્યત્વે ઘરેલું વીજળી ઉત્પાદન અને ડિસેલિનેશન પ્લાન્ટ (ખારા પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટ) ચલાવવા માટે કરવામાં આવે છે, જે આ સૂકા ખાડી દેશમાં પાણીનો પુરવઠો પૂરો પાડે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ધડાકો ત્યારે થયો જ્યારે ટેકનિકલ ટીમો વિસ્તારમાં અગાઉ આવેલી રુકાવટ બાદ કામકાજ ફરી શરૂ કરવાની કોશિશ કરી રહી હતી. તાજેતરના સંઘર્ષ દરમિયાન રાસ લાફાન કોમ્પ્લેક્સ પહેલા પણ પ્રભાવિત થયું હતું. જેમાં મિસાઇલ હુમલાના અહેવાલો પણ સામેલ હતા, જેના કારણે નુકસાન થયું હતું અને કામકાજ આંશિક રીતે બંધ કરવું પડ્યું હતું.
