તુર્કીના કહરાનમાસ શહેરમાં ફરી 4.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
Live TV
-
ભારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આચકો અનુભવાયો છે. રિપોર્ટસ અનુસાર, રવિવારે તુર્કીના દક્ષિણ-પૂર્વ વિસ્તાર કહરાનમાસમાં ભૂકંપના આચકા અનુભવાયા હતા. જેની તિવ્રતા રિકિટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. યુએસ જીઓલોદજિકલ સર્વે એ એહવાલ આપ્યો છે કે તુર્કીના રબપાનમાસ શહેરથી 24 કિલોમીટર દક્ષિણમાં રવિવારે 4.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પહેલા પણ 6 ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં 7.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. એકાદ બે દિવસ બાદ પણ અનેક વખત હળવા આંચકા અનુભવાયા હતા. તુર્કી અને સીરિયામાં ગયા સોમવારના વિનાશક ભૂકંપથી અત્યાર સુધીમાં 33,000 થી વઘુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો ધાયલ થયા છે. જ્યારે આજ આવેલા ભુકંપને કારણે અનેક ઇમારતોને નુકશાન પહોચ્યુ છે. તુર્કીના દસ પ્રાંતોમાં આવેલા ભૂકંપને કારણે 25 હજારથી વધુ ઇમારતો ધવ્સ્ત થઇ ગઈ છે. નિષ્ણાંતોના મતે હજુ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. જેમનો હવે ભચવાની સંભાવના નહીવત માનવામાં આવી રહી છે. જેને કારણે મૃત્યુ આંક વધાવાની સંભાવના છે. તો બીજી તરફ એક સાથએ એટલા મૃત્યુન થવાના કારણે તુર્કીના કબ્રસ્તાનમાં લોકોને દફનાવા માટે જ્ગાય ઓછી પડી રહી છે.
