નાઇઝરમાં રાજકિય અસ્થિરતા વચ્ચે હવાઇ ક્ષેત્ર બંધ કરાયું
Live TV
-
નાઇઝરે પોતાના હવાઇ ક્ષેત્રને આગામી સૂચના સુધી બંધ કરી દીધુ છે.
નાઇઝરે પોતાના હવાઇ ક્ષેત્રને આગામી સૂચના સુધી બંધ કરી દીધુ છે. સત્તા પલટો કરનારા નેતાઓએ રાષ્ટ્રપતિના પુનઃ સ્થાપનની મર્યાદા નકારી કાઢ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. નાઇઝરનું હવાઇ ક્ષેત્ર બંધ કર્યા બાદ એક પણ વિમાન હવાઇ ક્ષેત્રમાં જોવા મળ્યુ નથી. પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં 3 વર્ષમાં 7મી વખત સત્તા પલટો થતા દુનિયાના સૌથી ગરીબ ક્ષેત્રમાંથી એક એવા સાહિલ ક્ષેત્રને હચમચાવી નાંખ્યો છે. યુરેનિયમ અને તેલ સંપત્તિ અને ઇસ્લામી આતંકવાદીઓની સાથે યુદ્ધમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને જોતા નાઇઝર, અમેરિકા, યુરોપ અને ચીન, રશિયા માટે મહત્વ ધરાવે છે.
