પ્રધાનમંત્રી મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી
Live TV
-
પ્રધાનમંત્રીએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દા પર ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અને તેના ક્ષેત્ર અને વિશ્વ માટેના પરિણામો વિશે ચર્ચા કરી હતી. ગઈકાલે ટેલિફોન વાતચીતમાં બંને નેતાઓએ આતંકવાદ, હિંસા અને નાગરિકોના જાનહાનિ અંગે તેમની સહિયારી ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દા પર ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે પેલેસ્ટાઈનના લોકો માટે ભારતની વિકાસ ભાગીદારી અને માનવતાવાદી સહાયને પ્રકાશિત કરી. બંને નેતા શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના અને માનવતાવાદી સહાયની સુવિધા માટે સંમત થયા હતા.
