બ્રાજિલમાં કોરોનાના દર્દીને લઈને જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 4 લોકોના મોત
Live TV
-
સંક્રમિત દર્દીને આઇસીયુમાં ભરતી કરતા લઈ જવાતા હતા, વિમાનમાં સવાર પાયલોટ અને બે સ્વાસ્થ્ય કર્મચારીનું પણ મોત
બ્રાજિલમાં કોરોના વાયરસના દર્દીઓને લઈને જઈ રહ્યું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા ચાર લોકોના મોત થયા છે. બ્રાજિલના સિએરા રાજ્યમાં કોવિડ-19 સંક્રમિત ચિકિત્સકને લઇને એક વિમાન ઉડ્યું હતું. જેમાં 4 લોકો સવાર હતા. રસ્તામાં જ અચાનક વિમાન ક્રેશ થઇ ગયું હતું. ઓનલાઇન સમાચાર સાઈટ જી-1એ ફાયર બ્રિગેડના કર્મચારીઓના હવાલાથી આ અહેવાલ આપ્યા છે. બીમાર ચિકિત્સકને તેના વતન પિયાઉમાં આઇસીયૂમાં ભરતી કરાવવા લઈ જવાતા હતા. પ્લેનમાં પાયલોટની સાથે દર્દીની સારવાર કરી રહેલા 2 કર્મચારીનો પણ સમાવેશ થાય છે.
