Skip to main content
Settings Settings for Dark

ભારત તરફથી ઈરાનમાં ઇબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં ઉપરાષ્ટ્રપતિ હાજરી આપશે

Live TV

X
  • 23 મેના રોજ ઈરાનમાં તેમની અંતિય યાત્રા યોજવામાં આવશે

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 22 મેના રોજ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઇરાનની મુલાકાત લેશે. જોકે ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. 23 મેના રોજ ઈરાનમાં તેમની અંતિય યાત્રા યોજવામાં આવશે.  

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 22 મેના રોજ ઈરાન જવા રવાના થશે. ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીના સન્માનમાં સમગ્ર ભારતમાં એક દિવસીય રાજ્ય શોક મનાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.  

    આ સિવાય 21 મેના રોજ વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી હતી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયનના મૃત્યુ પર ભારતની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. જયશંકરે કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં ઈરાનના લોકો સાથે ઊભું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply