યુક્રેન સાથે સંભવિત શાંતિ મંત્રણા પર પુતિનનું મોટું નિવેદન
Live TV
-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે યુક્રેન સંકટ પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી શકે છે. ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ-ઇઇએફના સત્રને સંબોધતા રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત, બ્રાઝિલ અને ચીન યુક્રેનની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે.
વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ યુક્રેનની સ્થિતિ પર ભારત, ચીન અને બ્રાઝિલ સાથે સતત સંપર્કમાં છે. પુતિનનું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરમાં રશિયા અને યુક્રેનની મુલાકાત પછી આવ્યું છે. આ મુલાકાતો દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ શાંતિના સમર્થક તરીકે ભારતનું વિઝન સ્પષ્ટ કર્યું હતું.
